Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

જન્માષ્ટમી - દિવાળીએ ૭૧ લાખ ગરીબ કુટુંબોને લીટર કપાસિયા તેલ અપાશે

ગાંધીનગર તા. ૩ : રાજય સરકાર દ્વારા જન્માષ્ટમી અને દિવાળીના તહેવાર નિમિતે અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધરાવતા ૩૫ લાખ કુટુંબોને જ અત્યારે કુટુંબ દીઠ એક - એક લિટર કપાસીયા તેલ રાહત દરે આપવામાં આવે છે. મને જણાવતા આનંદ થાય છે કે, હવે આ યોજનાનો વ્યાપ વધારી રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળના કૂટુંબોને આવરી લઇ તમામ ૭૧ લાખ કુટુંબોને જન્માષ્ટમી અને દિવાળી નિમિત્તે રાહત દરે એક-એક લિટર કપાસીયા તેલ આપવામાં આવશે. તે માટે રૂ. ૭૦ કરોડની જોગવાઇ.

રાજયના ગેસ સિલિન્ડર વિહોણા અંદાજીત ત્રણ લાખ બાર હજાર લાભાર્થીઓને ગ્રીન અને કલીન ફયુઅલ સ્વરૂપે કેરોસીનની જગ્યાએ પીએનજી અથવા એલપીજી ગેસ કનેકશન આપવા રૂ. ૫૦ કરોડની જોગવાઇ.

(3:57 pm IST)