Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

અમદાવાદ શ્રી વલ્લભધામ ખાતે હવેલીનો ૧૦મો પાટોત્સવ ઉજવાશે

અમદાવાદ તા.૩ : અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલ શ્રી વલ્લભધામ હવેલખાતે ૧૦મો ત્રિદિવસીય ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવશે. જેમાં વૈશ્વવાચાર્યનો જન્મોત્સવ સર્વરોગ નિદાન કેમ્પ તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તા.૯ને શુક્રવારે સવારે ૧૦.૩૦ કલાકે નંદ મહોત્સવ,આરતી, દિવ્ય, બેડી મનોરથ તા.૧૦ના રોજ ગો. શ્રી રાજેશકુમારજી મહારાજના જન્મોત્સવ પ્રસંગે ૧૧.૩૦ કલાકે ભવ્ય શોભાયાત્રા હવેલી ખાતે નીકળી મહોત્સવ સ્થળ મ્યુ. ઓપન ગ્રાઉન્ડ પ્રકાશનગર ખાતે પહોંચશે.

૧ર કલાકે માર્કેન્ડયે વિધી બાદ સાંજે પ કલાકે ધર્મસભા યોજાશે. જેમાં પ.પૂ.કૃષ્ણકુમારજી મહોદય તેમજ પ.પૂ. કુંજેસ કુમારજી મહોદયના વચનામૃતનો લ્હાવો મળશે. તા.૧૧ રવિવારના રોજ સવારે ૧૧ કલાકે વલ્લભધામ હવેલી ખાતે ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં ડો. જીજ્ઞેશ શાહ, ડો. જીગર પરીખ, ડો.કુણાલ શાહ, ડો. વિરલ, ડો. ઉર્વીબેન શાહ, ડો. વિરલ શાહ, ડો. અર્પીત શાહ તેમજ તેની ટીમ સેવા આપશે. સાંજે ૭ કલાકે ફલ-ફાગ મનોરથનું આયોજન કરવામાં આવેલ છે તો આ પાટોત્સવમાં લાભ લેવા પધારવા જણાવાયું છે.

 

(3:47 pm IST)