Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

ગુજરાતમાંથી દારુબંધી ક્યારેય હટશે નહીં : આના માટે બોડર ક્રોસ કરવી પડશે: હર્ષ સંઘવી

અમદાવાદ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતમાંથી દારુબંધી ક્યારેય હટશે નહીં. ગુજરાતમાં લાંબા સમયથી સંસ્કૃતિ વારસો અને તેનું મૂલ્ય છે. ગુજરાતમાં દારૂબંધી હટાવવાનો નિર્ણય ક્યારેક નહિ આવે. જો કોઈ તેને ચુંટણી મુદ્દો બનાવે એ અલગ વાત છે. આના માટે બોડર ક્રોસ કરવી પડશે.

   તેમણે જણાવ્યું હતું કે, જે લોકો ચુંટણી લડે છે તે રાજકિય નેતા છે. તમે જે ક્ષેત્રમાં છો તેના તમે નેતા છો. તમે રાજકારણને જેટલું ગંદુ ગણો છો એટલું નથી. 50 કર્મચારીના ઓફિસ અને પરિવારમાં પણ રાજકારણ હોય છે. જેટલું રાજકારણ કોર્પોરેટ ઓફિસમાં હોય છે એટલું ચૂંટણી વાળા રાજકારણમાં નથી.

(10:06 pm IST)