Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

અમદાવાદના જુહાપુરામાં લારીમાં ખાણીપીણીનો ધંધો ચલાવતા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર પિતા-પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

અમદાવાદ: જુહાપુરામાં પણ પાર્લર અને ઈંડાની લારી ચલાવી વેપાર કરતા શખ્સને બાપ-બેટાએ ધંધો કરવાની ના પાડી જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવને પગલે વેજલપુર પોલીસે શનિવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.  જુહાપુરમાં ભારત પાન પાર્લર અને મામા તવા ફ્રાયના નામે ઈંડાનો વેપાર કરતા ઇમામુદ્દીન ગુલામરસુલ શેખે આરોપી સુલતાન શેખ અને તેના પુત્ર માજીદ વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ શુકવારે રાત્રે સુલતાન અને તેનો પુત્ર માજીદ ફરિયાદીની લારી પર આવ્યા હતા. સુલતાને કીધું કે, મારા ઘરે દાવત હતી અને મંડપ બાંધ્યો હતો. ત્યારે તું શું કહેતો હતો. ફરિયાદીએ જણાવ્યું કે, મેં એટલું કીધુ હતું કે, ટ્રાંફિક જામ ના થાય તે રીતે કરજો. સુલતાને ધમકી આપતા કહ્યું કે, હું જોવું છું.,તું કઈ રીતે ધંધો કરે છે. કાલથી તારે લારી મુકવાની નથી. ફરિયાદીનો મિત્ર સુલતાન અને તેના પુત્રને સમજાવવા ગયા તો આરોપીઓએ તારે પણ કાલથી અહીંયા બેસવાનું નહિ તેમ કહ્યું હતું. બન્ને બાપ બેટો અપશબ્દો બોલી જાનથી મારવાની ધમકી આપી નીકળી ગયા હતા.

(5:53 pm IST)