Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

રાજપીપળાથી નઘાતપોર જતી બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા મુસાફરોમાં ગભરાટ

  (ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા એસટી ડેપોની બસો પૈકી મોટાભાગની બસો કંડમ જેવી હાલતમાં હોવા છતાં નવી બસો ન મળતા ડ્રાઈવર, કન્ડક્ટર સહિત મુસાફરો જીવના જોખમે મુસાફરી કરતા હોય આજે સવારે રાજપીપળા ડેપોની બસ ડેપો ઉપરથી ઉપડ્યા બાદ અધવચ્ચે રસ્તામાં શોર્ટ સર્કિટના કારણે આગ પકડતા અંદર બેઠેલા મુસાફરો ગભરાઈ ઉઠ્યા અને નાસભાગ થઈ હતી જોકે જાણવા મળ્યા મુજબ ડ્રાઈવરે પાણીનો છંટકાવ કરતા આગ પર કાબુ મેળવાયો હતો સદનસીબે કોઈને ઇજા કે અણબનાવ બન્યો નથી પરંતુ લાખો કિલોમીટર ફરેલી આવી કંડમ બસો નહિ બદલાઈ તો ક્યારેક મોટી દુર્ઘટનાને નકારી ન શકાય

 

 

   

 

(10:16 pm IST)