Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

અમદાવાદની જય દ્વારકાધીશ હોટલમાં નોકરોને માર મારનાર ૪ પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

અમદાવાદઃ અમદાવાદની હોટલમાં જમવાનુ ન આપતા નોકરોને માર મારનાર ૪ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરીને ધરપકડના આદેશ કરતા સનસનાટી મચી ગઇ છે.

એસજી હાઇવે ઉપર આવેલી જય દ્વારાકાધીશ હોટલ ઉપર તા.૩૧ જાન્યુઆરીના રોજ વહેલી પરોઢે જમવા ગયેલા બોપલના ચાર પોલીસ કોન્સ્ટેબલને જમવાનું નહી મળતા તેમણે હોટલના બે નોકરોને ઢોર માર માર્યો હતો. આ મામલે સરખેજ પોલીસે મોડે મોડે પોલીસ ફરિયાદ નોંધી હતી. હવે બનાવની ગંભીરતા જોતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ હરકતમાં આવી છે, તેમણે ચારેય પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કાગળો તૈયાર કરી દીધા છે અગામી કલાકોમાં ફરજ મોકુફીના આદેશની બજવણી પણ થઇ ઝશે. સાંજે સુધી તેમને ધરપકડ પણ થઇ જશે. આ ઉપરાંત ગ્રામ્ય પોલીસે સરખેજ પોલીસને જાણ કરી છે કે નોકરને ફટાકરનાર ચારેય પોલીસ કોન્સ્ટેબલો મુકેશ ગઢવી પ્રદ્યુમનસિંહ, સાદીક અને હરપાલસિંહને ફરજ મોકુફીનો આદેશ આપવામાં આવે ત્યારે જો સરખેજ પોલીસ તેમની ધરપકડ કરવા માગતી હોય તો તેમણે પોલીસ કોન્સટેબલોનો કબ્જો મેળવી તેમની ધરપકડ કરવી. બીજી તરફ આ ચારેય પોલીસ કોન્સટેબલોની સિનિયર અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં આ કોનસ્ટેબલોના કારસ્તાન અને ક્રુરતા સીસીટીવીમાં કેદ હોવાને કારણે તે પોતાના કૃત્યનો બચાવ કરી શકે તેમ ન્હોતા. છતા તેમનો પક્ષ એવો હતો કે જે હોટલ માલિક છે તે તેમનો મિત્ર હોવાને કારણે તેઓ ત્યાં જમવા ગયા હતા. પરંતુ તેમના નોકર દ્વારા દુરવ્યવહાર થયો હોવાને કારણે તેમણે નોકરોને માર્યા હતા.

આ પોલીસ કોન્સટેબલો કેટલાંક પોલીસ અધિકારીઓની વિશેષ સંભાળ લેતા હતા. જેને પોલીસની ભાષામાં વહિવટદાર કહેવામાં આવે છે, તેના કારણે કોન્સટેબલોએ પોતાની સત્તાનો બેફામ ઉપયોગ કર્યો હતો. તેઓ માનતા હતા કે તેઓ જેમનો વહિવટ સંભાળે છે તેવા અધિકારી તેમને બચાવી લેશે તેવુ ચર્ચાય રહ્યુ છે.

(7:10 pm IST)