Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ અલકેશસિંહ ગોહિલના અવસાન બાદ શ્રદ્ધાંજલિના રૂપમાં પ્રતિમા મુકવા પ્રસ્તાવ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: રાજપીપળા નગરપાલિકાના માજી પ્રમુખ અને કારોબારી ચેરમેન અલ્કેશસિહ જસવંતસિંહ ગોહિલને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમનુ સારવાર દરમિયાન અવસાન થતા રાજપીપળા શહેરમાં ગમગીની છવાઈ હતી.રાજપીપળા પાલિકા વિપક્ષ નેતા દ્વારા શ્રદ્ધાંજલિના રૂપમાં પાલિકા સભામાં રાજપીપળા પાલિકા પટાંગણમાં સ્વ.અલ્કેશસિહ ગોહિલની પ્રતિમા મુકવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો.
 રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલનું દુઃખદ અવસાન થતાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. રાજપીપળા ખાતેના એમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા,રામપુરા ગામના નર્મદા નદીના કાંઠે એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
 રાજપીપળા પાલિકાના સભાખંડમાં 26/10/ 2020ના રોજ મળેલી કારોબારી બેઠકમાં પાલિકા વિપક્ષ નેતા મુંતઝીરખાન શેખ દ્વારા અલકેશસિંહ ગોહિલને શ્રદ્ધાંજલિ આપવાના રૂપમાં રાજપીપળા પાલિકા પટાંગણમાં અલકેશ સિંહ ગોહિલની એક પ્રતિમા મુકવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો જેને સૌએ માન્ય રાખ્યો હતો,અલ્કેશસિંહ ગોહિલ 3 વખત રાજપીપળા નગર પાલિકાના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે,તેમજ વર્તમાનમાં તેઓ રાજપીપળા પાલિકા કારોબારી ચેરમેન તરીકે કાર્યરત હતા

(10:25 pm IST)