Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

સાપુતારા પ્રવાસીઓ માટે ત્રણ દિવસ બંધ રહેશે તમામ હોટેલ -ધર્મશાળા પણ બંધ રાખવા નિર્ણંય

પેટાચૂંટણીમાં આ વિસ્તારોમાં સ્થિતિ ન બગડે તેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો

સુરતઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીને ધ્યાનમાં લઈને ડાંગના સાપુતારાને  ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવનાર છે. સાપુતારાની તમામ હોટેલ અને ધર્મશાળા પણ બંધ રહેશે. ગુજરાતીઓ માટે સાપુતારા પ્રવાસનું મુખ્ય કેન્દ્ર છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. આગામી સમયમાં ચૂંટણીને લઈને આ વિસ્તારોમાં સ્થિતિ ન બગડે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(5:26 pm IST)