Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાંરણછોડરાયજી મંદિરના મુખ્ય દ્વાર સામે આખલાઓ બાખડ્યા : દોડધામ

બે આખલાની લડાઈને કારણે બે બાઈકોને ભારે નુકસાન પહોંચ્યું

ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજી મંદિરના મુખ્ય દ્વાર સામે બે આખલાઓ બાખડ્યા હતા. જેમાં મંદિર આસપાસની બજારમાં દોડધામ મચી હતી. વેપારીઓ સહિત લોકોના જીવ પડીકે બંધાયા હતા. અડધા કલાક સુધી લગાતાર બંને આખલાઓએ એકબીજા ઉપર વાર કર્યા હતા. બંને આખલાઓને છુટા પાડવાની પણ અનેક કોશિશ કરવામાં આવી હતી. જો કે, બે આખલાની લડાઈને કારણે બે બાઈકોને ભારે નુકસાન પહોંચ્યું હતું. આખલાઓની લડાઈમાં સદ્દભાગ્યે કોઇને ઈજા પહોંચી નહોતી.  

 યાત્રાધામ ડાકોરમાં નગરપાલિકાની નિષ્કાળજીને પગલે ઢોર રખડતા જોવા મળે છે. જે ધમાસાણ મચાવી વારમવાર રાહદારીઓ તેમજ યાત્રીઓ અને વાહનચાલકોને ઈજાઓ પહોંચાડતા હોય છે. યાત્રાધામમાં આખલાઓની લડાઈ પણ સામાન્ય બની છે. ત્યારે નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે તો અનેક લોકોને ઈજાઓથી બચાવી શકાય તેમ છે.

(12:31 pm IST)