Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રાપર એડવોકેટ મર્ડર કેસઃબહુજન ક્રાંતિ મોરચા દ્વારા સાણંદ મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

તમામ આરોપીઓ અને બચવા કરનારાઓની ધરપકડ કરવા માંગણી

અમદાવાદઃ કચ્છના રાપરના સામાજિક ક્રાંતિકારી તથા એડવોકેટ દેવજીભાઈની કરપીણ હત્યા થવાથી  રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. રાજ્યના અનેક જિલ્લા અને તાલુકાઓમાં આવેદનપત્રો પાઠવવામાં આવ્યા છે. આવેદનપત્રોમાં મૃતક અને તેમના પરિવારને ન્યાય મળે તેવા માગ સાથે હત્યારાઓ સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

ત્યારે સાણંદ બહુજન ક્રાંતિ મોરચા દ્વારા વકીલ દેવજીની હત્યા કરનારા અને તથા આ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ તથા તેમનો બચાવ કરનારાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી 6 માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

(12:26 pm IST)