Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

હાથરસમાં દુષ્કર્મ અને એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીના હત્યારાઓને ફાંસીની સજા આપો

બનાસકાંઠાના દલિત સંગઠન થરાદ એકમ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું

બનાસકાંઠાઃ જિલ્લાના દલિત સંગઠન થરાદ એકમ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં દુષ્કર્મ અત્યાચાર અને ઇન્ડિયન લોયર પ્રોફેશનલ એસોસિએસન ગુજરાત પ્રદેશ પ્રભારી એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીના તમામ હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે તેમજ તેમના પરિવારને પોલીસ પ્રોટેક્શન અને જરૂરી સહાય આપવાની માગ કરી છે.

કચ્છના રાપરના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યાને લઈ સમગ્ર ગુજરાતમાં બહુજન સમાજમાં રોષ ભભૂકી ઉઠયો હતો, જ્યારે બીજી બાજુ ઉત્તર પ્રદેશના યોગી રાજમાં હાથ શર્મા માસુમ પર નરાધમો દ્વારા કરવામાં આવેલા અને જીપ કળે અમાનવીય વેવાર કરી હત્યા કરવામાં આવી છે. જેને સખ્ત શબ્દમાં વખોડી કાઢી છે, તેમજ હાથરસ ગેંગરેપના આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવામાં આવે અને ફાંસીની સજા કરવામાં આવે. આ સાથે તેમના પીડિત પરિવારને યોગી સરકાર દ્વારા એક કરોડની સહાય કરવામાં આવે તેવી માગ કરી છે.

(11:47 am IST)