Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કલાક્ષેત્રે સૌરાષ્ટ્રનો દબદબો : બંને ઉપર અભિનંદન વર્ષા

ગુજરાત સરકારના કલાકાર કલ્યાણ નિધિ ટ્રસ્ટમાં નયન ભટ્ટ અને વિરલ રાચ્છની પસંદગી

રાજકોટ : સૌરાષ્ટ્ર - ગુજરાતનાં કલા જગતમાં નાટ્યક્ષેત્રે બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી નયન ભટ્ટ અને નાટ્ય ક્ષેત્રના અદાકાર - દિગ્દર્શક - સંચાલક વિરલ રાચ્છ જે બંને ગુજરાત રાજય સરકાર દ્વારા ગૌરવ પુરસ્કાર સન્માનિત કલાકાર છે. તેઓને ગુજરાત રાજય સરકાર દ્વારા યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા મહત્વની પાંખ ગુજરાત રાજય કલાકાર કલ્યાણ નિધિ ટ્રસ્ટમાં સભ્ય શ્રી તરીકે પસંદગી કરી ૩ વર્ષ માટે નિમણુંક કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્રના બંને દિગ્ગજોને સરકારમાં પ્રતિનિધિત્વ મળતા કલાકારોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. કલાક્ષેત્રે જરૂરીયાતમંદ લોકોની વધુ સારી સેવા કરવા બળ મળે તેવી શુભકામના બંને કલાકારોને મળી રહી છે.

(11:42 am IST)