Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

નવસારીના વાંસદા પંથકમાં સામુહિક આપઘાત : મોળાઆંબા ગામે એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝાડ પર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

પોલીસે ત્રણેયના મૃતદેહો નીચે ઉતારી પીએમ અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડ્યા

નવસારીના વાંસદા તાલુકાથી હદયદ્રાવક ઘટના સામે આવી છે. વાંસદાના મોળાઆંબા ગામે એકજ પરિવારના ત્રણ સભ્યોએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું ના સમાચાર છે. એકના એક પુત્રએ બીમારીથી કંટાળી આત્મહત્યા કરતા માતા-પિતાએ પણ ફાંસો ખાઈ કર્યો આપઘાત કરી લીધો છે. એક જ પરિવારના ત્રણ સભ્યો એક જ ઝાડ પર ફાંસીએ ઝૂલતા દેખાતા ગામ લોકો પણ શોકની લાગણી પ્રસરી હતી. વાંસદા પોલીસને ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે ત્રણેયના મૃતદેહો નીચે ઉતારી પીએમ અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડ્યા છે.

(3:35 pm IST)