Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

રાજપીપળામાં ગુજરાતના મંત્રીઓની ઉપસ્થિતિમાં DGVCLની કચેરીઓનું રૂા.5.17કરોડના ખર્ચે લોકાર્પણ કરાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તા.૧ લી સપ્ટેમ્બર,૨૦૨૧ ને બુધવારના રોજ સાંજે ૫ વાગે રાજપીપલામાં જુના પાવર હાઉસ, કાળિયાભૂત મંદિરની બાજુમાં, દક્ષિણ ગુજરાત વિજ કંપની રાજપીપલાની વિભાગીય કચેરી તેમજ રાજપીપલા-૧ અને રાજપીપલા- ૨ પેટા વિભાગીય કચેરીઓના અંદાજે રૂા.૫.૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત ભવનનો ગુજરાત ઊર્જા વિભાગના મંત્રી સૌરભભાઇ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવા અને છોટાઉદેપુરના સંસદસભ્ય ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહેશે, તેમ દષિણ ગુજરાત વિજ કંપની રાજપીપલા તરફથી જણાવાયું છે.

(11:24 pm IST)