Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

અમદાવાદના દરિયાપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું : શાંતિના પ્રતિક એવા સફેદ કબૂતર ઉડાવ્યા

રથયાત્રાના ત્રણેય રથ પ્રેમ દરવાજા પહોંચતા જ્યાંથી ગૃહરાજ્યમાંથી હર્ષ સંઘવી પણ તેમાં જોડાયા અને તેઓ પદયાત્રા કરી દરીયાપુર પહોંચ્યા

અમદાવાદમાં ભગવાન જગન્નાથમા રથયાત્રાના ત્રણેય રથ પ્રેમ દરવાજા પહોંચ્યા છે. જ્યાંથી હર્ષ સંઘવી પણ તેમાં જોડાયા છે અને તેઓ પદયાત્રા કરી દરીયાપુર પહોંચ્યા છે. જ્યારે રથ દરીયાપુર પહોંચી ગયા છે જ્યાકે બીજી બાજુ અખાડા દ્વારા પોતાના કૌશલ્યો બતાવવાના શરૂ થયાં છે. અખાડાના કરતબબાજ દ્વારા સ્ટંટ કરવામાં આવ્યા હતા.

  આ દરમ્યાન દરિયાપુરમાં મુસ્લિમ સમાજ  દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ કોમી એકતાના વાતાવરણમાં નીકળેલી રથયાત્રામાં શાંતિના પ્રતિક એવા સફેદ કબૂતર ઉડાવવામાં આવ્યા હતા.

(8:56 pm IST)