Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

અમદાવાદમાં વકરતો અને રાજ્યમાં વિસ્તરતો કોરોના :છેલ્લા 24 કલાકમાં 632 નવા કેસ નોંધાયા:વધુ 384 દર્દીઓ સાજા થયા :આજે એક દર્દીનું મૃત્યુ :કુલ મૃત્યુઆંક 10,947: કુલ 12,18.426 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 48.047 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 3289 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 632 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 384 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.18.426 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી વલસાડમાં એક દર્દીનું મૃત્યુ થયું છે,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.947 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.85 ટકા જેટલો છે.

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 48.047  લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11,14.80.896 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 3289 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 6 દર્દી વેન્ટિલેટર પર છે,અને 3283 દર્દીઓ સ્ટેબલ છે .

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 632 કેસમાં અમદાવાદ કોર્પોરેશન 258 કેસ, સુરત કોર્પોરેશન 85 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 42 કેસ,વલસાડમાં 33 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 32 કેસ,મહેસાણામાં 30 કેસ, નવસારી અને સુરતમાં 18-18 કેસ, કચ્છ અને રાજકોટ કોર્પોરેશનમાં 14-14 કેસ, ગાંધીનગર અને પાટણમાં 11-11 કેસ,ભાવનગર કોર્પોરેશનમાં 8 કેસ, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં 7-7 કેસ, સાબરકાંઠામાં 6 કેસ, ભરૂચમાં 5 કેસ, અમદાવાદ,આણંદ ,જામનગર કોર્પોરેશન, મોરબી અને વડોદરામાં 4-4 કેસ, અમરેલી , ભાવનગર,ખેડા,અને સુરેન્દ્રનગરમાં 2-2 કેસ, બનાસકાંઠા, દાહોદ,ગીર સોમનાથ, પંચમહાલ અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે

(8:38 pm IST)