News of Monday, 22nd January 2018
પાકિસ્તાનની સબસિડીથી દેશમાં ખાંડની વધતી આયાતઃ ડ્યુટી વધારીને ૧૦૦ ટકા કરવા માંગણી
સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ કે ખાંડની આયાતની જરૂર નથીઃ ઈસ્મા
રાજકોટ, તા.૨૨ : ખાંડમાં મંદીનો માહોલ જોવાઈ રહયો છે. ત્યારે ઇન્ડિયન સુગર મિલ સે,૯-ઈસ્મા)એ ચાલુ વર્ષે ખાંડનો અંદાજ વધાર્યો છે. સાથે તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન સરકાર દ્વારા નિકાસ ઉપર સબસીડી અપાતી હોવાના કારણે ભારતમાં ખાંડની આયાત થઇ રહી છે. આ સંજોગોમાં ઇસ્માએ સરકારને ખાંડની આયાત ડ્યુટી વધારીને ૧૦૦ ટકા કરવા માંગણી કરી છે.
ઇસ્માએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, સરકારે એ બાબતને પ્રોત્સાહન આપવું જોઈએ કે હવે દેશમાં ખાંડની આયાત કરવાની કોઈ જરૂર નથી. ઇસમાંએ ખંડના ઉત્પાદનનો હવે ૨૬૧ લાખ ટનનો અંદાજ મુકયો છે.
(9:22 am IST)