News of Wednesday, 13th December 2017
ચણાના વાયદામાં વેચાણ બાજુ પાંચ ટકાનું સ્પે. માર્જિન લદાયું
રાજકોટ, તા.૧૩ : ચણાના વાયદામાં ઘેરી મંદી જોવાઈ રહી છે. મંદીને નાથવા માટે એકસચેન્જ દ્વારા બુધવારથી લાગુ પડે તેવી રીતે શોર્ટ સાઈડ-વેચાણ બાજુ પાંચ ટકાનું સ્પેશિયલ માર્જિન લાદવાની જાહેરાત કરાઈ છે. આ માર્જિન હાલના અને આગામી મહિનામાં લોન્ચ થનારા વાયદા ઉપર લાગુ થશે તેમ એનસીડીએકસે જણાવ્યું છે.
(9:44 am IST)