ટેકાના ભાવથી ચોખાની ૩૫૦ લાખ ટનની સરકારી ખરીદી થઈઃ લક્ષ્યાંક થશે હાંસલ
પંજાબમાંથી સૌથી વધુ ૧૭૬ લાખ ટન અને હરિયાણામાંથી લક્ષ્યાંક કરતા બમણી ખરીદી
રાજકોટ તા. ૪ : ચાલુ સીઝનમાં ટેકાના ભાવથી ચોખાની ૩૫૦ લાખ ટન સરકારી ખરીદી થઇ છે જે ખરીદીના લક્ષ્યાંકથી નજીક છે કેન્દ્ર સરકારે પહેલી ઓકટોબરથી શરુ થયેલ નવી સીઝનમાં ૩૭૫ લાખ ટન ચોખાની ખરીદીનો લક્ષ્યાંક રાખ્યો હતો તેમાંથી હાલમાં ૩૫૦,૨૮ લાખ તન્ની ખરીદી થઇ ચુકી છે ગતવર્ષે કુલ ૩૮૧,૦૬ લાખ ટન ખરીદી કરાઈ હતી તે લક્ષ્યાંકથી વધુ હતી.
એફસીઆઈના આંકડા મુજબ સરકારી એજન્સીઓએ પંજાબમાંથી ૧૭૬,૬૧ લાખ ટન ચોખાની ખરીદી કરી છે જે ૧૧૫ લાખ ટનના લક્ષ્યાંક કરતા વધુ છે જયારે હરિયાણામાં ૩૦ લાખ ટનના લક્ષ્યાંક સામે ૫૯,૨૦ લાખ ટન ખરીદી કરાઈ છે જે લક્ષ્યાંક કરતા બમણી છે આ સિવાય છત્ત્િ।સગઢમાંથી ૩૩,૩૨ લાખ ટન ,ઉત્ત્।રપ્રદેશમાંથી ૨૫,૯૬ લાખ ટન, આંધ્ર પ્રદેશમાંથી ૧૩,૯૨ લાખ ટન અને ઓરિસ્સાથી ૯,૯૧ લાખ ટન ખરીદી કરાઈ છે.