Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

મગફળીની વધતી વેચવાલીઃ કોમર્શિયલ સીંગદાણામાં ઘરાકીના અભાવે નરમાઇ

રાજકોટ, તા.૨૧ : મગફળી અને સીંગદાણાની બજાર નરમ દેખાઈ છે. મગફળીમાં વેચવાલી વધતી જણાઈ છે. જયારે કોમર્શિયલ સીંગદાણામાં ઘરાકીના અભાવે ભાવમાં દબાણ જોવાઈ રહયું છે. આમ બંનેમાં ટોન નરમ છે. સીંગદાણામાં નિકાસ વેપારો પણ નહિવત છે.

કોમર્શિયલ સીંગદાણામાં ભાવ ૫૩,૫૦૦દ્ગક સપાટીએ સ્થિર જોવાયા હતા. સીંગદાણામાં નિકાસ વેપારની રાહ છે. જો નિકાસ વેપાર થશે તો બજારને ટેકો સાંપડશે તેમ વેપારીઓ માની રહ્યાં છે. ભારતની તુલનાએ આફ્રિકન સીંગદાણા સસ્તા હોવાથી નિકાસ વેપાર નહીં થતા હોવાનું પણ મનાય છે.

(9:35 am IST)