Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ઘઉં બજારમાં જળવાતી મક્કમતા મોટા સુધારાની શકયતા નહિવત

રાજકોટ, તા.૧૯ : ઘઉં બજારમાં વધ્યા ભાવથી સ્થિરતાનો માહોલ જોવાયો છે. મધ્યપ્રદેશની સરકારે ઘઉંના ટેકાના ભાવમાં વધારો કરતા બજારમાં સુધારો જોવાયો છે. પરંતુ લેવાલીના અભાવે ભાવમાં મોટો સુધારો થવાની શકયતા નહિવત હોવાનું વેપારીઓ માને છે.

જાણકારોના માનવા મુજબ ઘઉંમાં ટૂંકાગાળા માટે ભાવ મજબૂત રહી શકે છે. પરંતુ લાંબાગાળે બજારમાં આવકનું દબાણ રહશે તેમ મનાય છે.

(9:57 am IST)