મને એની પરવા નથીઃ સારા
સારા અલી ખાન અલગ અલગ ફિલ્મોમાં કામ કરી રહી છે. તે અહિ અસંખ્ય ચાહકો ઉભા કરી ચુકી છે. પરંતુ અનેક વખત તેને સોયિશલ મિડીયા પર ટ્રોલ કરવામાં આવતી રહે છે. તે કહે છે મારી પર્સનલ લાઇફ સાથે જો કોઈને પ્રોબ્લેમ હોય તો એની મને કોઈ પરવા નથી. સારા મહાદેવના મંદિરે સતત દર્શન કરવા જાય છે એને લઈને હાલમાં તેને ટ્રોલ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં યુઝર્સ તેના પર શાબ્દિક પ્રહાર કરે છે. એક યુઝર્સે લખ્યું કે આપકો ખાન પરિવાર મેં રહના હૈ કિ નહીં? તો અન્યએ લખ્યું કે મુસ્લિમ કબ સે મંદિર જાને લગે' આવા અનેક શાબ્દિક પ્રહાર તેના પર કરવામાં આવ્યા હતા. સારા તેની આગામી ફિલ્મ ‘ગેસલાઇટ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. એ દરમ્યાન સારાએ કહ્યું કે જો દર્શકોને મારા કામની ફરિયાદ હોય તો એ મારો પ્રોબ્લેમ છે. કારણ કે હું મારા ચાહકો માટે કામ કરું છું. જો કોઈને મારી પર્સનલ વસ્તુઓ કે મારી લાઇફસ્ટાઇલથી વાંધો હોય તો મને એની કોઈ પરવા નથી.