રાવણના રોલમાં જોવા મળી શકે છે યશ : હૃતિક રોશને ફગાવી દીધો
મુંબઈ: વર્ષ 2019 માં, દંગલનું નિર્દેશન કરનારા નિર્દેશક નીતિશ તિવારીએ રામાયણ પર તેની આગામી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. નીતીશ તિવારી સાથે મળીને મધુ મન્ટેના આ ફિલ્મ પ્રોડ્યુસ કરવાના હતા. આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યું છે. 500 કરોડના મેગા બજેટમાં બનેલી આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી છે, જેમાં રાવણના રોલ માટે રિતિક રોશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે, તાજેતરના અહેવાલો અનુસાર, તે હૃતિક રોશન નહીં પરંતુ KGF સ્ટાર યશ રાવણની નકારાત્મક ભૂમિકા ભજવશે. પિંકવિલાના તાજેતરના અહેવાલ મુજબ, હૃતિક રોશને રામાયણ પર બની રહેલી ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી છે. હૃતિક હવે નેગેટિવ રોલ કરવા માંગતો નથી. રિતિકે અગાઉ રિલીઝ થયેલી ફિલ્મ વિક્રમ વેધામાં પણ નેગેટિવ રોલ કર્યો હતો અને તે બીજી નેગેટિવ ભૂમિકા ભજવવા માંગતો નથી.હૃતિક રોશને ઑફર નકારી કાઢ્યા પછી, નિતેશ તિવારી અને નિર્માતા મધુ મન્ટેનાએ હવે KGF સ્ટાર યશને રોલ ઑફર કરવાનું નક્કી કર્યું. નિર્માતાઓએ યશને ફિલ્મની સ્ક્રિપ્ટ પણ સોંપી દીધી છે. અહેવાલો અનુસાર, યશે સ્ક્રિપ્ટ વાંચવાનું શરૂ કરી દીધું છે. તેની પાસે પહેલેથી જ 4-5 ફિલ્મોની સ્ક્રિપ્ટ છે, તેથી રામાયણનો રાવણ હવે યશ બની શકે છે.