એમની સલાહ વગર હું અભિનય ન કરતી હોતઃ નિકી શર્મા
અભિનેત્રી નિકી શર્માએ કહ્યું હતું કે તે સોનાલી બેન્દ્રેને કારણે અભિનયની દુનિયામાં આવી છે. ઝી ટીવીના શો બ્રહ્મરાક્ષસ-૨માં પર્લ વી. પુરીની સાથે મુખ્ય રોલમાં નિકી શર્મા જોવા મળશે. આ શો થકી તે પહેલી વખત મખ્ય ભુમિકામાં દેખાવાની છે. નિકી કહે છે મારી કારકિર્દીની મેં શરૂઆત કરી ત્યારે હું ખુબ યુવાન હતી. એક ટેલેન્ટ શોમાં ભાગ લેવા ગઇ હતી તેમાં નિર્ણાયક તરીકે સોનાલી બેન્દ્રે હતાં. આ સ્પર્ધામાં હું ઘણી આગળ વધી હતી. પણ છેલ્લે એલિમિનેટ થઇ અને શો છોડીને જાઉ એ પહેલા સોનાલી મેડમ મને મળ્યા હતાં અને મને કહ્યું હતું કે મારે ટીવી પરદા પર કામ કરવા પ્રયાસ કયરવો જોઇએ. એ પછી મેં પ્રયત્નો શરૂ કર્યા હતાં. શરૂઆતના દિવસો ખુબ મુશ્કેલ હતાં. પણ ધીમે ધીમે અલગ-અલગ રોલ નિભાવ્યા પછી મને ઘણું શીખવા મળીગયું હતું. સોનાલીએ જ મને અભિનય કરવા માટે મનાવી હતી. તેમણે સલાહ ન આપી હોત તો આજે હું અભિનયના ફિલ્ડમાં પહોંચી જ ન હોત.