ફિલ્મ જગત
News of Wednesday, 27th December 2017

રોલને ન્યાય આપવા ભારે મહેનત કરી રહી છે સારા

સૈફ અલી ખાન અને અમૃતાસિંઘની દિકરી સારા અલી ખાનની પહેલી ફિલ્મ કેદારનાથ એક વર્ષ પછી એટલે કે ૨૧ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મનું શુટીંગ શરૂ થઇ ગયું છે. સુશાંતસિંહ રાજપૂત ફિલ્માં હીરો છે. સુશાંતે સારાના ખુબ વખાણ કર્યા છે. પોતાના રોલમાં જોરદાર દેખાવ માટે સારા જીમમાં ખુબ પરસેવો પાડી રહી છે.

સુશાંતસિંહે કહ્યું હતું કે સારાને મેં શુટીંગ વખતે અનેક સલાહ આપી હતી. તે ખુબ જ મહેનતુ છે અને અભિનય બાબતે ઘણુ બધુ જાણે છે. અભિષેક કપૂર નિર્દેશીત આ ફિલ્મનું પહેલા ભાગનું શુટીંગ કેદારનાથ મંદિર અને તેની આજુબાજુમાં થયું હતું. કેદારનાથમાં આવેલી જળ હોનારતના દ્રશ્યોના શુટીંગ માટે મુંબઇમાં ખાસ સેટ ઉભો કરવામાં આવ્યો છે. આ ફિલ્મની રિલીઝની તારીખ મામલે વિવાદ પણ ઉભો થયો હતો.

(12:56 am IST)