પતિના કહેવાથી ફરીથી ફિલ્મ કરીઃ રાની મુખર્જી
અભિનેત્રી રાની મુખર્જી દિકરી આદિરાના જન્મ બાદ ફિલ્મોમાં પાછી આવી છે. તેની ફિલ્મ હિચકી રિલીઝ થવાની તૈયારીમાં છે. ઘણા લોકો જાણે છે કે દિકરીના જન્મ પછી રાની મુખર્જી ફિલ્મોમાં કામ કરવાની નહોતી. દિકરીની દેખભાળ માટે તે એટલી ચિંતીત રહેતી હતી કે તેણે હવે પછી ફિલ્મો નહિ કરવાનો નિર્ણય કરી લીધો હતો. પરંતુ પતિને કારણે તેણે ફિલ્મોમાં ફરી કદમ માંડ્યા છે. તે કહે છે મે કામ નહિ કરવાનું નક્કી કરી લીધુ હતું ત્યારે પતિ આદિત્યએ મને સમજાવી હતી. કારણ કે મારા માટે ફિલ્મમાં કામ કરવા કરતાં મા તરીકેની જવાબદારી વધુ મહત્વની હતી. પણ મને પતિએ સમજાવ્યા પછી મેં ચાર મહિના સુધી વિચાર કર્યો હતો અને દિકરી મોટી થઇ ગયાનું લાગતાં પછી હિચકી માટે હા કહી હતી. રાની આ ફિલ્મ માટે ખુબ ઉત્સાહિત છે.