ફરીથી અભિનય શરૂ કરવા આયેશા તૈયાર
નેવુંના દસકમાં અજય દેવગણ, આમિરખાન, અક્ષય કુમાર સહિતના સ્ટાર સાથે સુપરહિટ ફિલ્મો આપનારી અભિનેત્રી આયેશા ઝુલ્કા હવે ફરીથી અભિનય શરૂ કરવા તૈયાર છે. જો જીતા વહી સિકંદર, વકત હમારા હૈ, ખિલાડી, રંગ, સંગ્રામ સહિતની ફિલ્મો થકી ઓળખ ઉભી કરનાર આયેશાએ જો કે એક દસકો પુરો થતાં જ ફિલ્મી પરદે દેખાતી ઓછી થઇ ગઇ હતી. આયેશા કહે છે ૨૦૦૩માં સમીર વાશી સાથે લગ્ન કર્યા પછી બોલીવૂડને અલવીદા કહી દેવું જ યોગ્ય હતું. હવે હું ફરીથી ટીવી પરદે, ઓટીટી અને ફિલ્મોમાં કામ કરવા તૈયાર છું. કેટલીક સ્ક્રિપ્ટ પણ વાંચી રહી છું. મેં નાની ઉમરે જ કામ શરૂ કરી દીધું હતું. મેરેજ પછી નોર્મલ લાઇફ જીવવા ઇચ્છતી હતી. બાળકો હું ઇચ્છતી જ નથી. બીજા કામ અને સામાજીક કાર્યો હું સતત કરતી રહુ છું. એંસીના દસકમાં મેં બ્યુટી કોન્ટેસ્ટ જીતી હતી. એ પછી તસ્વીરો ગોૈતમે ઇન્ડસ્ટ્રીમાં મોકલી હતી. મને સલમાન સાથે પહેલી જ ફિલ્મ કુરબાન ઓફર થઇ હતી. પણ ત્યારે ખબર નહોતી કે આ સફર લાંબી ચાલશે. તારીખોને કારણે રોઝા જેવી ફિલ્મ છોડી દેવાનો આજે પણ અફસોસ છે. પ્રેમ કૈદીમાં બિકીની ન પહેરવી હોવાથી મેં એ ફિલ્મ કરી નહોતી.