ટચુકડા પર્દે ફરી બધાને હસાવશે કપિલ શર્મા
મુંબઇ: કપિલ શર્મા ફરી પોતાના નવા શો સાથે ટચૂકડા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે. કોમેડિયને જોકે આ શોમાં સુનિલ ગ્રોવર હશે કે નહીં તેનો કોઇ ફોડ પાડયો નથી.'' મે એવું પહેલા સાંભળ્યું હતું કે લોકપ્રિય થવાના નુકસાન પણ ભોગવવા પડે છે. તે વાત મને હવે સમજાણી છે. મારે કોઇ વાતને દિલ પર લેવી ન જોઇએ અને દરેકે પોતાના કામ પર ધ્યાન આપવું જોઇએ.મારો નવો શો ફેમિલી બીથ કપિલ શર્મા હશે, જેમાં અલગ-અલગ શહેરોમાંથી આવેલા લોકો ભાગ લઇ શકશે. આ વખતે મેં મારા શોના ફોર્મેટમાં થોડો બદલાવ કર્યો છે, તેમ કપિલે એક ઇન્ટરવ્યુ તેમજ ફેસબુક પર જણાવ્યું હતું.જોકે કપિલે એવી વાત કરી હતી કે મારા શોમાં મારી જુની ટીમ હશે,જોકે તેણે સુનિલ ગ્રોવરનું નામ ક્યાંય કોઇ રીતે ન લેતાં રહસ્ય રાખ્યું છે. એક ચર્ચા એવી પણ છે કે સુનિલ આ શોનો હિસ્સો નહીં હોય.