ફિલ્મ જગત
News of Wednesday, 14th July 2021

આલીયા ભટ્ટ અને રણબીર કપૂર આવતા વર્ષ સુધીમાં લગ્ન કરશે અને 2037માં છૂટાછેડા પણ લઇ લેશેઃ ખુદને ફિલ્‍મ ક્રિટીક ગણાવનાર કમાલ રાશિદ ખાનની ભવિષ્‍યવાણી

નવી દિલ્હીઃ બોલીવુડ કપલના લિસ્ટમાં આલિયા અને રણબીર કપૂરનું નામ સૌથી પહેલા આવે છે. ફેન્સ ઈચ્છે છે કે આ કપલ જલદી લગ્ન કરી લે. તેથી લોકો તેના જિંદગી સાથે જોડાયેલી દરેક વાત જાણવા ઈચ્છે છે. તેવામાં આ બંનેના લગ્નની જાહેરાત કમાલ ખાને કરી દીધી છે અને તે જાણીને ચોંકી જશો કમાલ ખાને માત્ર લગ્ન જ નહીં છુટાછેડાની પણ જાહેરાત કરી છે.

કમાલ રાશિદ ખાન હંમેશા પોતાના નિવેદનોને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં રહે છે. કેઆરકેનું નામ તે લોકોમાં સામેલ છે, જે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે ચર્ચામાં રહે છે. તેવામાં આ વખતે કેઆરકેએ રણવીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન વિશે ટ્વીટ કર્યું છે.

હકીકતમાં કેઆરકેએ ટ્વિટર પર કેટલાક પ્રિડિક્શન પોસ્ટ કર્યાં છે, પોતાના ટ્વીટમાં કેઆરકેએ અનેક વાત લખી છે. તેવામાં કેઆરકેએ એક પૂર્વાનુમાન રણવીર કપૂર અને આલિયા ભટ્ટને લઈને કર્યું છે. કેઆરકેએ પોતાના ટ્વીટમાં લખ્યું- 2022ના અંત સુધી રણવીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થઈ જશે. પરંતુ રણવીર કપૂર  લગ્નના 15 વર્ષની અંદર આલિયાને છુટાછેડા આપી દેશે. એટલે કે કેઆરકે પ્રમાણે 2037 પહેલા રણવીર આલિયા છુટા પડી જશે.

કેઆરકે  હાલમાં સલમાન ખાનની ફિલ્મનું રિવ્યૂ કરી ફસાયો હતો. અભિનેતાએ તેના પર માનહાનિનો દાવો ઠોક્યો હતો. આ બન્નેની લડાઈ વચ્ચે મીકા સિંહની એન્ટ્રી થઈ હતી. મીકાએ કેઆરકે વિરુદ્ધ એક ગીત પણ બનાવ્યું હતું.

(5:05 pm IST)