મારે બસ આ જ જોઇએ છેઃ અજય
બોલીવૂડના સિંઘમ અજય દેવગણ પાસે આ વર્ષે પણ ભરપુર કામ હોવાથી તે આખુ વર્ષ સતત વ્યસ્ત રહેવાનો છે. તેની પાસે જે ફિલ્મો છે તેમાં રનવે-૩૪ એપ્રિલ માસમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેણે અભિનય કરવાની સાથોસાથ અગાઉની જેમ નિર્દેશનનું કામ પણ સંભાળ્યું છે. અજયની અન્ય ફિલ્મોમાં આરઆરઆર, ગંગુબાઇ કાઠીયાવાડી અને મેદાન પણ સામેલ છે. થેન્ક ગોડમાં પણ તે ખાસ ભુમિકામાં જોવા મળવાનો છે. આ જોતાં તેની એક વેબ સિરીઝ પણ આવી રહી છે. જેના થકી તે ડિજીટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરશે. અજયએ કહ્યું હતું કે મારા ડિરેકશનમાં બનેલી રનવે ૩૪ને અમે એપ્રિલમાં રિલીઝ કરી દઇશું. જ્યારે 'રૂદ્ર-ધ એજ ઓફ ડાર્કનેસ' ફેબ્રુઆરીના અંતે અથવા તો માર્ચમાં ડિજિટલ પ્લૅટફોર્મ પર રિલીઝ થવાની છે. અન્ય બે કે ત્રણ ફિલ્મોની શરૂઆત કરવાનો છું. મને લાગે છે કે હું દરરોજ કામ પર જવાનો છું. મારે આ જ જોઇએ છે અને આવી જ મારી ઇચ્છા છે. ગોલમાલ, સિંઘમ ફ્રેન્ચાઇઝીની આગલી ફિલ્મો પણ તે કરી રહ્યો છે.