રોમાન્ટીક સિવાયના દ્રશ્યોમાં પણ કિયારા અડવાણી પાવરધી
અભિનેત્રી કિયારા અડવાણી ધીમા છતાં મક્કમ પગલે આગળ વધી રહી છે. તાજેતરમાં આવેલી ફિલ્મ શેરશાહના તેના અભિનયએ તેની સફળતાના ગુચ્છમાં વધુ એક પુષ્પ ઉમેરી દીધુ છું. કેપ્ટન બત્રાની અંતિમ યાત્રા વખતનું દ્રશ્ય ભલભલાને પીગળાવી દે તેવું છે. જેમાં કિયારાએ એટલી ભાવનાઓને ઠાલવી દીધી છે કે સમગ્ર દ્રશ્ય અસલી હોય તેવું બની ગયું છે. કિયારા આમ તો બોલીવૂડમાં રોમાન્સની રાણી ગણાય છે. પરંતુ શેરશાહના અભિનયથી તેણે સાબિત કર્યુ છે કે તે બીજા રોલ પણ બખુબી ખુબ સારી રીતે નિભાવી શકે છે, રોમાન્ટીક સાથે લાગણીસભર દ્રશ્યો આપવામાં પણ તે પાવરધી છે. કિયારાના હાથ પર હવે પછી ભૂલભૂલૈયા-૨, જુગ જુગ જીઓ અને આરસી-૧૫ નામની ફિલ્મો છે. કિયારાને કુદરત તરફથી સોૈંદર્ય અને આવડત પુષ્કળ મળ્યા છે. પણ તેણે પોતાની મહેનત અને લગનથી અભિનય કોૈશલ્યને ખુબ ખીલવ્યું છે.