News of Thursday, 8th March 2018
'જિંદગી ના મિલેગી દુબારા'ની સિક્વલ બનાવશે જોયા અખ્તર
મુંબઈ: બૉલીવુડ ફિલ્મકાર જોયા અખ્તર પોતાની સુપરહિટ ફિલ્મ 'જિંદગી ના મિલેગી દુબારા'ની સિક્વલ બનાવી શકે તેવી ચર્ચા થઇ રહી છે. જોયા અખ્તર 2011માં આ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં ફરહાન અખ્તર, ઋવિક રોશન, અભય દેઓલ, કેટરીના કૈફ જેવા કલાકરોએ કામ કર્યું હતુ.
ચર્ચા છે કે જોયા એક વાર ફરી આ સ્ટાર કાસ્ટ સાથે ફિલ્મની સિક્વલ બનાવી શકે છે. અત્યરે આ ફિલ્મની સ્ક્રીપટ લખાઈ રહી છે. આ સિક્વલમાં કહાનીને 10 વર્ષ આગળ બતાવવામાં આવેશે। જો કે હજુ સુધી સત્તાવાર કોઈ જાહેરાત થઇ નથી.
(5:48 pm IST)