ફિલ્મ જગત
News of Saturday, 2nd July 2022

કિશોર દાસનું 30 વર્ષની વયે અવસાન : અભિનેતા લાંબા સમયથી કેન્સર સાથેની જંગ હાર્યો

મુંબઈ: આસામી અભિનેતા કિશોર દાસનું નિધન થયું છે. તે કેન્સર સામે લડી રહ્યો હતો. કિશોર દાસના અવસાનથી આસામી ઉદ્યોગમાં શોકનું મોજું છે. 30 વર્ષીય કિશોર દાસની ચેન્નાઈમાં સારવાર ચાલી રહી હતી. થોડા સમય માટે તેમની સારવાર ગુવાહાટીમાં પણ કરવામાં આવી હતી. બહેતર મેડિકલ સુવિધાઓ જોઈને તેઓ ગયા વર્ષે માર્ચમાં ચેન્નાઈ પહોંચ્યા હતા. કેન્સર સામેની લાંબી લડાઈ બાદ તેમણે શનિવારે દુનિયાને અલવિદા કહ્યું. કિશોર દાસે ગયા મે મહિનામાં હોસ્પિટલની એક તસવીર શેર કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ ચોથા સ્ટેજની સારવાર હેઠળ છે.

(6:40 pm IST)