Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

દરેક ફિલ્‍મનું પોતાનું નસિબ હોય છેઃ સાદીયા

રક્ષાબંધન ફિલ્‍મને ભલે જોઇએ એવી સફળતા ન મળી હોય પણ ફિલ્‍મની એક અભિનેત્રી સાદીયા ખાતિબ કહે છે અક્ષય કુમારે આ ફિલ્‍મમાં તેનું શ્રેષ્‍ઠ પરફોર્મન્‍સ આપ્‍યું છે. ફિલ્‍મમાં ગાયત્રીનો રોલ ભજવનાર સાદીયા કહે છે અસલી જિંદગીમાં હું જરાપણ આ પત્ર જેવી નથી. ફિલ્‍મમાં હું સતત બધાનું ધ્‍યાન રાખતી હતી, રસોડામાં રસોઇ બનાવતી હતી. પરંતુ હકિકતે હું આવી નથી. મારી પહેલી ફિલ્‍મ શિકારામાં પણ મેં ડેથ સિક્‍વન્‍સ શૂટ કરી હતી. આ પ્રકારના સિન કરવામાં મને કોઇ વાંધો નથી. જો કે આવા સિન કરવામાં શ્વાસ રોકી રાખવો પડે છે, હાવ-ભાવ અને આંખોને કન્‍ટ્રોલમાં રાખવા પડે છે. જેથી કરીને તે કેમેરામાં દેખાય નથી. રક્ષાબંધનમાં અવા સિનને શુટ કરવામાં ત્રણેક દિવસ લાગ્‍યા હતાં. સાદિયા કહે છે દરેક ફિલ્‍મનું પોતાનું નસિબ હોય છે. આ ફિલ્‍મમાં કોમેડી, ડ્રામા, ઇમોશન એમ બધુ જ છે. અક્ષય કુમાર સાથે કામ કરવાની ખુબ મજા આવી હતી. તે સેટ પર ખુબ હસાવતાં હતાં.

(10:31 am IST)