Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ક્‍યારે આવશે દયાભાભી ? : રાખી વિઝાન પણ દયાભાભીનાં રોલમાં નહીં જોવા મળે, વહેતી થયેલ અફવા પર રાખી વિઝાને લગાવી રોકv

રાખી વિઝાને અફવાઓ પર રોક લગાવતા કહ્‍યુ - ‘મને પણ નથી ખબર કે આ પ્રકારની ખબરો કયાંથી આવે છે'

મુંબઇઃ તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા શો છેલ્‍લા કેટલાય સમયથી ચર્ચામાં રહેલુ છે. અને તેમા પણ દિશા વાકાણીની જગ્‍યાએ દયાભાભીનો રોલ કોણ ભજવશે તેનો જવાબ જાણવા દર્શકો આતુરત છે. ત્‍યારે છેલ્‍લા કેટલાય સમય છે દયાભાભીનાં રોલામાં રાખી વિઝાનની એન્‍ટ્રી થશે તેવી ચર્ચાએ જોર પકડયુ હતુ. જેના પર ખુદ રાખી વિઝાએ રોક લગાવતા કહ્‍યુ હતુ કે, તેમને પણ ખબરા નથી કે આ પ્રકારની ખબરો ક્‍યાંથી આવે છે. જેના પરથી સ્‍પષ્ટ થાય છે કે તે દયાભાભીનો રોલ નથી ભજવવાના.

આજ કાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ખુબ ચર્ચાઈ રહ્યો છે. અને શોની ચર્ચા પાછળ એક કારણ પણ છે. ક્યારેક શૈલેશ લોઢાના શો છોડવા પર, તો ક્યારેક પોપટલાલના લગ્ન માટે તો ક્યારેક દયાબેનની ઘર વાપસીને લઈને. દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી હવે શોમાં ઘર વાપસી નહીં કરે પણ તેમની જગ્યા પર રાખી વિઝાનની એન્ટ્રી થશે તેવી ખબર આવી રહી છે. પરંતુ હવે આ ખબરો પર રાખી વિઝાનનો જવાબ આવી ગયો છે. જે ખુબ જ હેરાન કરનારો છે.

રાખી વિઝાન નહીં બને દયાબેન:

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં રાખી વિઝાનની એન્ટ્રીની ખબર આવ્યા પછી તેઓએ મીડિયાને ઈન્ટરવ્યૂ આપતા નમામ વાતોને નકરી હતી. તેઓએ જણાવ્યું કે તેમને પણ નથી ખબર કે આ પ્રકારની ખબરો ક્યાંથી આવે છે. તેઓએ ખુદ આ રિપોર્ટ મીડિયાના રિપોર્ટમાં વાંચી છે.  તેઓ અત્યાર સુધી એટલે ચુપ રહ્યાં કારણ કે તેમને લાગ્યું હતું કે આ ખબર જાતે જ વાયરલ થવાની બંધ થઈ જશે. પરંતુ હવે લોકો આ ખબરને ગંભીરતાથી લઈ રહ્યાં છે. રાખીએ વધુ વાત તો ના કરી પણ તેમની વાતોથી એક વાત સ્પષ્ટ હતી કે દયાબેનનું પાત્ર નથી ભજવવાના.

કોણ બનશે દયાબેન?

હવે સવાલ એ છે કે દિશા વાકાણી શોમાં પરત નથી આવવાની. રાખી વિઝાન પણ દયાબેન નથી બની રહી. તો પછી સીરિયલમાં કોણ બનશે દયાબેન. લોકો પણ આ પાત્રનો શોમાં રાહ જોઈને બેઠા છે. વર્ષોથી દયાબેન શોમાં નથી દેખાયા. પણ હવે ફેન્સ પણ શોમાં તેમની વાપસી ઈચ્છી રહ્યાં છે. એટલે દર બીજા મહિને તેમની વાપસીની વાતો ચાલતી રહે છે. ત્યારે હવે જોવુ એ રહ્યું કે કોણ છે જે દયાબેનનો રોલ કરશે.

(5:25 pm IST)