Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

થોડો સમય એકલા રહેવું છે મુનવ્‍વરને

ટીવી પરદે કંગના રનોૈત સંચાલિત રિયાલીટી શો લોકઅપના વિજેતા બની જાણીતો બનેલો મુનવ્‍વર ફારૂખી આ શો પછી રોહિત શેટ્ટીના રિયાલીટી શો ખતરો કે ખિલાડી-૧૨માં જોવા મળવાનો હતો. પરંતુ છેલ્લી ઘડીએ મુનવ્‍વર આ શોમાંથી ખસી ગયો છે. તેણે સોશિયલ મિડીયા મારફત પોતે આ શોનો ભાગ નથી તેવું જાહેર કર્યુ છે. સાથે લખ્‍યું છે કે મને માફ કરજો હું આ શોનો ભાગ નહિ બની શકું. મને ખુબ ઇચ્‍છા હતી આ શોમાં સામેલ થવાની પરંતુ નસિબને કદાચ આ મંજુર નથી. ચાહકો નિરાશ થયા હશે પરંતુ શોમાં સામેલ નહિ થવાનું મને વધુ દુઃખ છે. મનોરંજન આપતો રહીશ, પણ થોડા સમય માટે હું એકલો રહેવા ઇચ્‍છુ છું. ખતરો કે ખિલાડીની બારમી સિઝનનો આરંભ બીજી જુલાઇથી થવાનો છે. આ શોનું શુટીંગ કેપટાઉનમાં ચાલી રહ્યું છે. રૂબીના દિલૈક, શિવાંગી જોષી, શ્રુતિ ઝા, મોહિત મલિક, તુષાર કાલિયા સહિતની જાણીતા સ્‍ટાર આ શોમાં ભાગ લઇ રહ્યા છે.

(10:24 am IST)