Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

સલમાન ખાને આપી ખુશખબર

ઇદના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે રાધે રાધે

નવી દિલ્હી તા. ૨૦ : બોલીવુડના ભાઈજાનના ફેન્સ જેનો લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતા તે સમય હવે આવી ગયો છે. આખરે સુપરસ્ટાર સલમાન ખાન એ મૌન તોડ્યુ છે અને પોતાની આવનારી ફિલ્મ રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈની રિલીઝ ડેટની જાહેરાત કરી દીધી છે. સલમાને સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી છે કે આ ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થશે.

સલમાને રાધે સાથે સંબંધિત જાણકારી શેર કરતા લખ્યુ, 'સોરી બધા થિએટર માલિકોની વિનંતી પર જવાબ આપવામાં મને આટલો સમય લાગી ગયો. તે સમયે આટલો મોટો નિર્ણય લેવો મુશ્કેલ હતો. હું થિયેટર માલિકો અને એકઝીબીટરોની ખરાબ સ્થિતિ સમજી શકુ છે, તેથી મેં નક્કી કર્યું છે કે રાધે ફિલ્મ થિયેટરમાં જ રિલીઝ થશે.'

તેણે આગળ લખ્યુ, 'હું તેમને વિનંતી કરીશ કે જે પણ દર્શક આ ફિલ્મ જોવા સિનેમાહોલમાં આવે તેની સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવે. મારૂ કમિટમેન્ટ ઈદનું છે અને આ ફિલ્મ ઇંશાઅલ્લાહ ૨૦૨૧ના ઈદ પર રિલીઝ થશે. ઉપર વાળાની ઈચ્છા હશે તો આ વર્ષે રાધેને થિયેટરમાં જોવાનો આનંદ ઉઠાવીશું.'

સલમાન ખાનની ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાનો મતલબ છે કે દર્શકોએ ફિલ્મ જોવા સિનેમાઘરોમાં પહોંચવું પડશે. આશા છે કે ઈદ સુધી સ્થિતિ સુધરી જશે અને એક વર્ષથી ઘરમાં બેસેલા ફિલ્મ પ્રેમીઓને આ વખતે બહાર જઈ કંઈક ધમાકો જોવાની તક મળશે. આ વર્ષે ઈદ ૧૯ કે ૨૦ જુલાઈએ આવવાની છે.

(10:19 am IST)