Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

કિયારાના વખાણ કર્યા વિષ્ણુવર્ધને

અભિનેત્રી કિયારા અડવાણીએ ટુંકાગાળામાં જ પોતાની મહેનતને કારણે બોલીવૂડમાં મોટુ સ્થાન મેળવી લીધું છે. કિયારા હવે સિધ્ધાર્થ મલ્હોત્રા સાથેની ફિલ્મ શેરશાહમાં ખાસભુમિકામાં છે. કેપ્ટન  વિક્રમ બત્રાના જીવન પર બનેલી આ ફિલ્મમાં કામ કરીને તે અત્યંત ખુશ છે. ફિલ્મના નિર્દેશક વિષ્ણુવર્ધને કિયારાના ભરપુર વખાણ કર્યાહતાં અને તેની સરખામણી મહિલા સુપરસ્ટાર નયનતારા સાથે કરી હતી. કલા પ્રત્યે અનોખી પ્રતિભા અને સમર્પણ કિયારામાં ભરપુર છે. તે યોગ્ય અને વ્યસ્ત અભિનેતાઓમાંથી એક છે. કિયારાને મળીને મને નયનતારાની યાદ આવી ગઇ હતી. કિયારા સાથે કામ કરવાની મને ખુબ મજા આવી હતી. કિયારાની બુધ્ધીમતાથી પણ હું આકર્ષિત થયો છું. તેમ વિષ્ણુવર્ધને કહ્યું હતું. કિયારાની આગામી ફિલ્મોમાં ભૂલભૂલૈયા-૨, જુગ જુગ જીઓ અને શશાંક ખેતાનની એક ફિલ્મ સામેલ છે. રામચરણ સાથે પણ એક ફિલ્મ કરી રહી છે.

(10:13 am IST)