Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

હું કેન્સરને હરાવીને વહેલી તકે બહાર આવીશઃ સંજુબાબાનું મજબુત મનોબળ

સંજયદત્ત કેજીએફ-૨ અને શમશેરાના કામમાં પણ વ્યસ્ત

મુંબઈ  તા. ૧૬:  સંજય દત્તે જણાવ્યું છે કે તે જલદીથી કેન્સરને હરાવશે. તે હાલમાં સેલિબ્રિટી હેર-સ્ટાઇલિસ્ટ અલીમ હકીમના સેલૂનમાં ગયો હતો. સેલૂનમાં તેણે કેમેરા પર્સનને તેના કપાળ પરના નિશાન પર ફોકસ કરવા જણાવ્યું હતું. કેન્સરને લઈને સંજય દત્તે કહ્યું હતું કે 'તમે આ ઘા જોઈ શકો છો. એ મને હાલમાં જ મારી લાઇફમાં મળ્યા છે. જોકે હું એને હરાવીશ, હું કેન્સરમાંથી વહેલી તકે બહાર આવી જઈશ.'

પોતાની આવનારી ફિલ્મો વિશે સંજય દત્તે કહ્યું કે 'ઘરમાંથી બહાર નીકળવાનું સારું લાગે છે. મેં આ દાઢી 'KGF 2' માટે વધારી છે. એનું શૂટિંગ અમે નવેમ્બરમાં શરૂ કરવાના છીએ. સેટ પર પાછા ફરવાની ખુશી છે. 'શમશેરા'નું ડબિંગ થવાનું છે, એમાં પણ મજા આવવાની છે.'

(12:48 pm IST)