Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

'દેવી આદી પરાશકિત' ફરીથી થશે શરૂ

પોૈરાણિક ટીવી શોને પસંદ કરતાં ચાહકો માટે 'દેવી આદી પરાશકિત' ૨૩ ઓકટોબરથી ફરીવાર શરૂ થઇ રહ્યો છે. રતિ પાંડે અને તરૂણ ખન્નાની મુખ્ય ભુમિકા ધરાવતો આ શો દશેરા પછી દંગલ ચેનલ પર શરૂ થશે. આ શો અગાઉ ફેબ્રુઆરી માસમાં પ્રસારીત થયો હતો. પરંતુ બાદમાં કોરોનાને કારણે શુટીંગ અટકાવી દેવું પડ્યું હતું. હવે ફરીથી છ મહિના પછી આ શો ટીવી પરદે જોવા મળશે. શોમાં રતિ પાંડે દેવીની ભુમિકામાં છે. તેણે કહ્યું હતું કે આ શો ત્યારે હિટ બની ગયો હતો. પણ લોન્ચીંગ થયાના બીજા જ મહિને કોરોના મહામારી આવી પડતાં અને લોકડાઉન અમલમાં આવતાં શુટીંગ અટકી ગયું હતું. હવે અમે ખુશ છીએ કે જ્યાં આ શો અટકી ગયો હતો ત્યાંથી જ આગળ વધારીશું. મહાદેવના રોલમાં તરૂણ ખન્ના છે. તે કહે છે હું ઉત્સાહિત છું કે આ શો ફરીથી શરૂ થઇ રહ્યો છે. આ દિવસની ઘણા સમયથી રાહ હતી. દર્શકોનો પ્રેમ અમને સતત મળતો રહેશે તેવી આશા છે.

(10:24 am IST)