Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

સલમાન ખાનના ફાર્મહાઉસ પર શિવરાત્રીની ઉજવણીઃ યુલીયાએ ભોળા શંકરની આરતી ઉતારી

યુલિયા અને સલમાન ખાનના સંબંધો વિષેની અટકળો વચ્ચે સલમાન યુલિયાને છોડીને કેટરિના તરફ ઢળી ગયો હોવાની વાત વહેતી થઇ હતી પરંતુ આ શિવરાત્રીએ યુલિયા અને સલમાન હજુ પણ સાથે સાથે જ છે તેવા અહેવાલો મળી રહયા છે.

સલમાન ખાનના પનવેલમાં આવેલા ફાર્મ હાઉસમાં શંકર ભગવાનનું એક મંદિર  છે. ત્યાં યુલિયાએ મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરમાં આરતી કરી હતી. સલમાન ખાનની માતા સલમા ખાને જ યુલિયાને આરતી ઉતારવા કહ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર દર વખત ધામધૂમથી મહાશિવરાત્રીની પૂજા થાય છે અને સલમાન જ આરતી કરે છે. પરંતુ આ વખતે સલમાન બેંગકોકમાં રેસ 3 નું શૂટિંગ કરી રહ્યો હોવાથી યુલિયાએ આરતી કરી હતી. જેથી તે  પરિવારની સભ્ય જ બની ગઈ હોવાની અટકળો શરૂ થઇ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ યુલિયાએ ખાન પરિવારની પ્રથાને આગળ ધપાવતા ગામડાના લોકોને અન્ન અને વસ્ત્રોનું દાન પણ કર્યું હતુ.

નોંધનીય છે કે યુલિયાએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું સલમાનને ખૂબ જ પ્રેમ કરુ છુ પરંતુ મને બિલકુલ આઈડિયા નથી કે મારી લાઈફ મને કયાં લઈ જઈ રહી છે. હું ત્રણ વર્ષ પહેલા લાઈફ માટે દ્યણા પ્લાન બનાવતી હતી પરંતુ મારી અપેક્ષા મુજબ કશું જ નથી થયુ અને આગળ પણ નથી થવાનું. જે થવાનું છે તે જ થવાનુ છે.

(6:29 pm IST)