Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

હવે પહેલા જેવો માહોલ જામતો નથીઃ રોહિતાશ્વ ગૌર

ટીવી પર આવતા અલગ-અલગ કોમેડી શોમાં ભાભીજી ઘર પર હૈ શો તેના અલગ જ કન્સેપ્ટને કારણે દર્શકોને સતત હસાવવામાં સફળ રહે છે. શોના અસંખ્ય ચાહકો છે. જેમાં બિપાશા બાસુ અને વરૂણ ધવન પણ સામેલ છે. ભાભીજી...માં મનમોહન તિવારીનો રોલ નિભાવી રહેલા અભિનેતા રોહિતાશ્વ ગૌરએ કહ્યું હતું કે અમે ભલે કોમેડી શોમાં કામ કરતાં હોઇએ, પરંતુ કોરોનાને કારણે માહોલ સતત નિરાશાજનક રહે છે. શોનું શુટીંગ શરૂ થયું ત્યારે અમે ડરી ગયેલા હતાં. પણ હવે પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો છે. ધીમે-ધીમે ગાડી પાટે ચડી રહી છે. જો કે હું એ પણ સ્પષ્ટ કરીશ કે સેટ પર પહેલાની જેમ ઉર્જાવાન અને ખુશીનો માહોલ હવે નથી. પહેલા અમે એક સાથે મળી જે મજા માણતા હતાં તે હવે ગાયબ છે. અમે બસ શુટીંગ કરી રહ્યા છે, પરંતુ હર્ષોલ્લાસ-આનંદ કિલ્લોલ ગાયબ છે. મહામારીએ નિરાશાનો માહોલ ઉભો કર્યો છે. રોહિતાશ્વ આગળ કહે છે કે અમારા દ્રશ્ય અને સંવાદ એટલા જોરદાર લખાયા હોય છે કે દરેક દ્રશ્ય જબરદસ્ત બને છે. બધા કલાકારો પણ શાનદાર છે.

(9:54 am IST)