Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

એ કામ ખુશી મળે તેવું નહોતું: જય

ટીવી પરદાના અભિનેતા જય સોનીએ કહ્યું હતું કે મને મારા કામથી ખુશી નહોતી મળતી એટલે મેં ટીવી શોમાંથી રજા લઇ લીધી હતી. જો કે મેં મારા બ્રેકના સમયમાં અનેક નવી વસ્તુઓ શીખવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યુ હતું. જય સોનીએ બા બહૂ ઓૈર બેબી, સસુરાલ ગેંદા ફૂલ સહિતના ટીવી શો કર્યા હતાં. એ પછી તેણે ટીવી પરદે આવવાનું બંધ કરી દીધું હતું. તે કહે છે એ સમયે મારી પત્નિ પ્રેગનન્ટ હતી આથી તેની દેખભાળ રાખવાની પણ જરૂર હતી. વળી એ સમયે મારું વજન પણ ખુબ વધી ગયું હતું આથી મારે એના તરફ પણ ધ્યાન આપવાનું હતું. બ્રેક લઇને મે વર્કઆઉટ શરૂ કરી દીધું હતું.  મને અહેસાસ થયો હતો કે મારે ફરીથી શેપમાં આવવું જ પડશે. એ પછી મેં સંપુર્ણ ટ્રાન્સફોર્મેશન કર્યુ હતું.  શરૂઆતમાં હું નવા શો સ્વીકારવા માટે સમય લેતો હતો. કદાચ યોગ્ય ઓફર્સ નહોતી મળતી. મારી કરીઅર જે પ્રકારે આગળ વધતી હતી એનાથી હું ખુશ નહોતો. હું એવું કોઈ કામ નહોતો કરવા માગતો, જેનાથી મને ખુશી ન મળે. એથી મેં બ્રેક લેવાનો નિર્ણય લીધો.

(10:10 am IST)