Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

સુધાંશુ સિવાય કોઇ વનરાજ બની શકયું ન હોતઃ રૂપાલી

અભિનેત્રી રૂપાલી ગાંગુલી હાલમાં સ્ટાર પ્લસના શો 'અનુપમા'માં મુખ્ય રોલ નિભાવી રહી છે. તાજેતરમાં શરૂ થયેલો આ શો દર્શકોને પસંદ પડી રહ્યો છે. રાજન અને દિપા શાહીના આ શોએ દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું છે અને લોકપ્રિયતા પણ મેળવી છે. શોની સફળતાનું મુખ્ય કારણ અભિનેત્રી રૂપાલી  ગાંગુલી અને અભિનેતા સુધાંશુ પાંડે દ્વારા નિભાવવામાં આવી રહેલી મુખ્ય જોડી છે. આ બંને અનપુમા અને વનરાજના પાત્રો ભજવી રહ્યા છે. આ બંને જ્યારે પણ સ્ક્રીન પર એક સાથે હોય છે ત્યારે દર્શકો નજર હટાવી શકતા નથી. રૂપાલી કહે છે અમે બીજા કેટલાક મિત્રો થકી એક બીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ. સુધાંશુ અને મારી વચ્ચે વણકહેલી સમજણ છે એ અલગ જ છે. આ શોમાં તેના સિવાય કોઇ વનરાજ બની જ શકયું ન હોત. તે એક સારા અભિનેતા હોવા ઉપરાંત સુધાંશુ ખુબ સારા વ્યકિત પણ છે. સુધાંશુ દયાળુ પણ છે, તેને પ્રાણીઓ પ્રત્યે ખુબ પ્રમે છે. અમે બંને સેટ પર ખુબ મસ્તી કરીએ છીએ અને બીજાને ખુશ કરીએ છીએ.

 

(9:47 am IST)