Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

આવી તક નસિબદાર અભિનેતાને જ મળેઃ આસિફ શેખ

અભિનેતા આસિફ શેખને ચાહકો ભાભીજી ઘર પર હૈ શોના તેના વિભુતી નારાયણ મિશ્રાના પાત્રથી ખુબ ઓળખે છે. ગજબની કોમિક ટાઇમીંગ ધરાવતાં આસિફે અનેક ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યુ છે. તેને સોૈથી વધુ ઓળખ આ શોએ અપાવી છે. આસિફનું તાજેતરમાં વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડઝ લંડન દ્વારા ખાસ સન્માન થયું હતું. આસિફે ભાભીજી ઘર પર હૈ શોમાં પાંચ પંદર નહિ પણ ત્રણસો ભુમિકાઓ ભજવી રેકોર્ડ બનાવ્યો છે. આસિફે કહ્યું હતું કે મેં કદી પણ કોઇને આ વાત કરી નહોતી. છેલ્લા છ વર્ષથી વધુ સમયથી હું આ શો સાથે જોડાયેલો છું.

આ શોમાં મેં અલગ અલગ ત્રણસોથી વધુ ભુમિકા ભજવી લીધી છે. એક જ શોમાં આટલા બધા પાત્રો ભજવવાની તક કોઇ નસિબદાર અભિનેતા હોય તેને જ મળે છે. હું આવા લોકોમાં સ્થાન પામીને ખુશ છું. હું આટલા બધા વેશ ધારણ કરીને કયારેક કંટાળી જાઉ તો નિર્દેશકની કહુ છું હજુ કોઇ નવો લૂક લઇ આવો. હું સતત મારી કળાને નિખારવા તત્પર હોઉ છું.

(10:07 am IST)