Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્‍હોત્રા હવે લગ્ન બાદ દિલ્‍હી અને મુંબઇમાં રિસેપ્‍શન આપશે

જેમાં બોલિવુડના અદાકારો સહિત હસ્‍તીઓને આમંત્રણ અપાશે

મુંબઇઃ અભિનેત્રી કિયારા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્‍હોત્રા હવે દિલ્‍હી અને મુંબઇમાં રિસેપ્‍શન આપે તેવી શક્‍યતા છે.

કિયારા અને સિદ્ધાર્થના ચાહકો લાંબા સમયથી તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. બંનેના લગ્ન જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થયા હતા, જેને ખૂબ જ પ્રાઇવેટ રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી એવા સમાચાર હતા કે કિયારા અને સિદ્ધાર્થ 2 ​​જગ્યાઓ એટલે કે દિલ્હી અને મુંબઈ પર રિસેપ્શન આપશે, જોકે રિપોર્ટ્સનું માનીએ તો એવું નથી પરંતુ રિસેપ્શન સૂર્યગઢ પેલેસમાં થશે.

આ લગ્ન વિશે જે લેટેસ્ટ માહિતી સામે આવી છે તે મુજબ કિયારા-સિદ્ધાર્થ લગ્ન બાદ બે વાર રિસેપ્શન આપશે. લગ્નમાં હાજર મહેમાનો સિવાય, અન્ય બોલિવૂડ સેલેબ્સ તેમના રિસેપ્શનમાં હાજરી આપી શકે છે. આ રિસેપ્શનમાં શાહરૂખ ખાન, અજય દેવગન અને કાજોલ પણ પહોંચવાના સમાચાર છે.

લગ્નમાં પહોંચ્યા હતા આ મહેમાનો

જો લગ્નની વાત કરીએ તો 5 ફેબ્રુઆરીએ મહેંદી સેરેમની બાદ 6 ફેબ્રુઆરીએ સંગીત અને ચૂડા સેરેમની થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોડી રાત સુધી સંગીત ચાલ્યું હતું. મીડિયા અંદર કોઈ ફોટો કે વિડિયો ન લઈ શકે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે 7 ફેબ્રુઆરીએ લગ્નમાં કરણ જોહર, મનીષ મલ્હોત્રા, જુહી ચાવલા, જય મહેતા, ઈશા અંબાણી, આનંદ પીરામલ, શાહિદ કપૂર, મીરા રાજપૂત જેવા સેલેબ્સ હાજર રહ્યા હતા.

(5:18 pm IST)