Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

દીપિકા પાદુકોણ પછી આ અભિનેત્રીની ફિલ્મ બની વિવાદનો શિકાર

મુંબઈ: ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતના હિંસક વિરોધના સમાચારની શાહી હજુ સુકાઇ નથી ત્યાં ઝાંસી કી રાની  વિશેની ફિલ્મ મણીકર્ણિકા સામે વિરોધ શરૃ થયો હોવાની માહિતી મળી હતી. મણીકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી નામની ફિલ્મમાં ટોચની અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા કંગના રનૌત ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનો રોલ કરી રહી છે.  હવે રાજસ્થાન સ્થિત સર્વ બા્રહ્મણ મહાસભાએ એવો દાવો કર્યો છે કે આ ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઇને એક બ્રિટિશ અધિકારીના પ્રેમમાં હોય એવી ચીતરવામાં આવી છે. ઇતિહાસમાં આવો ઉલ્લેખ ક્યાંય નથી અને રાણી લક્ષ્મીબાઇ બ્રાહ્મણ હતી. એ બ્રિટિશ નાગરિકને પ્રેમ કરે નહીં. ફિલ્મમાં આ રીતે ઐતિહાસિક તથ્યો સાથે ચેડાં કરાઇ રહ્યાં છે એટલે અમે ફિલ્મનો વિરોધ કરીશું. દરમિયાન, એક મિડિયા મીટમાં કંગનાએ એવો અણસાર આપ્યો હતો કે આવતા વર્ષના ફેબુ્રઆરીની આસપાસ હું લગ્ન કરી લઇશ.  એક પત્રકારે એને એવો સવાલ કર્યો હતો કે તમે ૨૦૧૭માં પરણી જવાની વાત કરી હતી. એનું શું થયું ? ત્યારે કંગનાએ કહ્યું કે મને આવતા વર્ષના ફેબુ્રઆરી સુધીનો સમય આપો.

 

 

(4:33 pm IST)