Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

જેએમજે ગ્રુપના મયુરધ્‍વજસિંહ જાડેજાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ વિવિધ વ્‍યવસાયો સાથે સંકળાયેલા જેએમજે ગ્રુપના સીએમડી મયુરધ્‍વજસિંહ જાડેજાનો આજે જન્‍મદિવસ છે. રિયલ એસ્‍ટેટ, લોજીસ્‍ટિક, ઇમ્‍પોર્ટ-એકસપોર્ટ સહિતના અનેક સફળ વ્‍યવસાય ચલાવનાર યુવા ઉદ્યોગપતિએ અનેક સમાજ સેવાના કાર્યો પણ કર્યા છે. ૨૦૧૯માં ૮૬ અને ત્‍યારબાદ ૨૦૨૨ માં ૧૦૧ દિકરીઓના સમુહ લગ્ન, ૮૧ નિરાધાર બાળકોને પ્રધાનમંત્રી વિમા કવચ, કોરોનામાં માતા-પિતા ગુમાવનાર પાંચ દિકરીઓનો શિક્ષણ ખર્ચ ઉઠાવવાનું કાર્ય સહિત અનેક સેવાકિય કાર્યો કર્યા છે. તેમણે વ્‍યવસાયમાં ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરી સોલાર પાવર પ્રોજેક્‍ટ્‍સ, ફિલ્‍મ પ્રોડકશન, સ્‍પીનીંગ, સ્‍ટાર્ટઅપ ઇનવેસ્‍ટમેન્‍ટ વગેરેમાં રૂચી લઇ આગળ ધપાવ્‍યા છે. ઉદ્યોગ અને સેવાને વેગવંતી કરનાર મયૂરધ્‍વજસિંહ જાડેજાના જન્‍મદિવસે મો.૯૫૩૭૯૦૦૦૭૭ શુભેચ્‍છાઓ વર્ષી રહી છે.

(3:19 pm IST)