Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

જાહેર સાહસોના કમિશનર રણજીથકુમાર જે.નો જન્‍મદિન

રાજકોટ : સુક્ષ્મ, લઘુ અને મધ્‍યમ ઉદ્યોગના કમિશનર તરીકે રહી ચૂકેલા અને હાલ બ્‍યુરો ઓફ પબ્‍લિક એન્‍ટરપ્રાઇઝના કમિશનર શ્રી રણજીથકુમાર જે.નો જન્‍મ તા. ૨૮ જુલાઇ ૧૯૭૫ના દિવસે થયેલ. આજે ૪૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ તામિલનાડુના વતની અને ૨૦૦૫ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ ભૂતકાળમાં ભાવનગરમાં જિલ્લા વિકાસ અધિકારી, તાપી અને દાહોદમાં જિલ્લા કલેકટર, ગુજરાત ઇન્‍ડસ્‍ટ્રીયલ કોરીડોર કંપનીમાં જોઇન્‍ટ એમ.ડી. નાગરિક પુરવઠા વિભાગમાં સંયુકત સચિવ, આદિજાતી કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. (૨૨.૯)

ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૩૭૨ મો. ૯૦૯૯૯ ૮૮૮૯૮ ગાંધીનગર

(10:25 am IST)