Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

એડવોકેટ-નોટરી હરેશભાઇ પરસોંડાનો આજે જન્મદિવસ

રાજકોટ,તા. ૯: રાજકોટના યુવા ધારાશાસ્ત્રીશ્રી હરેશ બી. પરસોંડાનો આજ રોજ તા. ૯/૧૧/૨૦૨૦ના રોજ જન્મદિવસ છે. તેઓ રાજકોટ શહેર ખાતે છેલ્લા ૧૯ વર્ષથી વકીલાત વ્યવસાયમાં જોડાયેલ શ્રી હરેશ બી. પરસોંડા -એડવોકેટની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.

એડવોકેટ હરેશ બી. પરસોંડા રાજકોટ ખાતે ફોજદારી તેમજ સીવીલરાહે વકીલાત કરી ખૂબ સારી નામના મેળવેલ છે. તેમજ સમાજમાં જુદા જુદા ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃતિ સાથે અલગ અલગ સંસ્થામાં જોડાયેલ છે જેમાં બજરંગવાડી વેપારી એસોસીએશનના પ્રમુખ તરીકે આઠ વર્ષ સેવા આપેલ તથા હાલમાં કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપે છે તેમજ રાજકોટ બાર એસોશીએશનમાં પૂર્વ જોઇન્ટ સેક્રેટરી રહી ચૂકેલ છે અને ભા.જ.પ. વોર્ડનં. ના ઉપપ્રમુખ તરીકે રહેલો છે અને રાજકોટ જિલ્લા હ્યુમન રાઇટના જોઇન્ટ સેક્રેટરી તરીકે અને લોયર્સ સ્પોટર્સ ફાઉન્ડેશન નામની વકીલો માટે રમત ગમત અંગેની સંસ્થામાં છેલ્લા દસ વર્ષથી ટ્રેઝરર તરીકે સેવા આપે છે અને રાજકોટ ચુંવાળીયા કોળી- સમાજના સમુહ લગ્ન સમીતીના પ્રમુખ છે અને સમાજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રૂપે સ્પંદન રાસ ઉત્સવના નામે સમાજના ભાઇ-બહેનો માટે દાંડીયારાસનું દર વર્ષે આયોજન કરે છે અને રાજકોટ ખાતે ચુંવાળીયા ઠાકોર બોર્ડીંગ સંસ્થામાં કારોબારી સભ્ય તરીકે તેમજ પૂર્વ ઉપપ્રમુખ પદે તથા સંતશ્રી વેલનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ -રાજકોટમાં મંત્રી પદે તથા ગુજરાત ચુંવાળીયા કોળી ઠાકોર-સમાજ રાજકોટ જિલ્લાના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે તેમજ ગુજરાત સરકારશ્રી દ્વારા જિલ્લા કાનુની સેવા મંડળ દ્વારા સંચાલીત મીડીએશન સેન્ટરમાં હાલ મીડીએટર તરીકે સેવા આપે છે.

તેમજ અનેક નામાંકીત કંપનીઓ પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા, ગુજરાત સ્ટેટ પેટ્રો લી., યુનાટેડ ઇન્ફ્રાસ્ટ્રકચર ઓફ ઇન્ડીયા લી. તેમજ વિકાસ શરાફી સહકારી મંડળી લી, યશરાજ ક્રેડીટ કો-ઓપ. સોસાયટી, તેમજ સહકારી મંડળી લી, માં એડવોકેટ તરીકે રોકાયેલ છે તેમજ ફોજદારી કેશમાં ફરીયાદ પક્ષ તરફે પણ અનેક કેશમાં આરોપીઓને સજા અપાવેલ છે.

રાજકોટ ખાતે બાર એસોશીએશન યુવાન વકીલ મિત્રોમાં તેઓની ખૂબ જ સારી ચાહના ધરાવે છે અને વકીલ મિત્રોના કોઇ પણ કામ અંગે ખૂબ જ ખંતથી તેઓની સાથે રહી વકીલ મિત્રોના પ્રશ્નોનો નિકાલ કરવામાં હંમેશા મદદરૂપ થતા હોય જેથી યુવાન વકીલ મિત્રો તેમને ખૂબ જ આવકાર આપે છે.

આજ રોજ તેમનો જન્મદિવસ હોવાથી વકીલ મિત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો તરફથી તેમના મોબાઇલ નં. ૯૮૨૪૪ ૦૯૯૫૨ ઉપર શુભેચ્છા પાઠવવામાં આવી રહેલ છે.

(2:51 pm IST)